Varta

બાળ વિભાગ અને વાર્તા



જૂઠનો રફુગર- પડયા પાણીમાં ગધેડાઓ, તે ભડભડ સળગી મર્યા, શિકાર ન થયો હરણનો, પણ શિકારી ધન્ય થયાખાંસાહેબ અને પાછા લખનઉના, એટલે ડિંગ હાંક્યા વગર કંઈ ચાલે ? અને ડિંગ પણ એવી ધડમાથા વગરની હોય કે ગધેડાને હસવું આવી જાય ! પણ હવે તો ખાંસાહેબને ગપ મારવાની એવી આદત પડી ગઈ કે છૂટતી જ ન હતી.એક વખત રસ્તામાં એક ફકીરને ભીખ માગતો જોયો. ખાંસાહેબ કહે : 'અલ્યા ભીખ માગે છે, એને બદલે કંઈ કામ કરતો હોય તો ?''મને કોઈ રાખે તો જરૃર કામ કરું.'' શું કામ કરશે, બોલ ?''હું જૂઠનો રફુગર છું.''હેં...!' ખાંસાહેબથી બોલી જવાયું.ફકીર કહે : ' હા ખાંસાહેબ ! હું જૂઠને એવી સરસ રીતે રફુ કરું છું કે, તે સાચું જ લાગે.' ખાંસાહેબને થયું કે ચાલો આ માનવીય કદીક કામ લાગશે. તેમણે એ ફકીરને નોકરીમાં રાખી લીધો. પણ તેઓ એ રફુગરની પરીક્ષા કરવા માગતા હતા.બંને જતા હતા. સામા મળ્યા મિયાં અચ્છન. તેમણે તરત જ ખાંસાહેબને પૂછયું,'કેમ કાલે કંઈ દેખાયા નહિ ખાંસાહેબ !''શિકારે ગયો હતો.' ખાંસાહેબે પણ કહી દીધું.' શું કહો છો ?' મિયાં અચ્છને પૂછયું : 'કોઈ શિકાર બિકાર હાથ લાગ્યો કે..?'ખાંસાહેબે શરૃ કરી : 'અરે આપણે શિકારનીપાછળ પડીએ, પછી શિકારની ખેર છે, કે બચીજાય ! અરે એક કદાવર હરણ હતું. ગોળી છોડી ધાંય ! ગોળી એવી તો હરણને વાગી કેતેના પગમાં થઈને, કાનમાં થઈને આરપાર નીકળી ગઈ. તેમ છતાં હરણ બિચારું જીવ બચાવવા ભાગ્યું. હું હરણની પાછળ દોડયો, એટલામાં નદી આવી, શું જોઉં છું કે ગધેડાઓ નદી પાર કરવા પાણીમાં ઊતર્યા અને ખુદા ખુદા ! તમામ ગધેડાઓઓ સળગી ઊઠયા. અરે ધુમાડો નીકળવા લાગ્યો ધુમાડો.' શું ધડમાથા વગરની હાંકે રાખો છો ?' મિયાં અચ્છને પૂછયું : 'હરણના પગમાં ગોળી વાગી તો પછી કાનમાં કેવી રીતે નીકળી ? અને પાણીમાં તે કંઈ ગધેડા સળગી મરતા હશે ?'ખાંસાહેબ કહે : 'જૂઠું નથી બોલતો. પૂછોઆ ફકીરને. એ પણ મારી સાથે જ હતો.'ફકીરને પોતાને તક મળેલી જોઈ તે કહે : ' હા ભાઈ ! મેં મારી નજરે જોયું. વાત એવી બની કે ખાંસાહેબે જ્યારે શિકાર પર ગોળી ચલાવી ત્યારે હરણ પાછલા પગે પોતાનો કાન ખંજવાળતું હતું. એટલે ગોળી તે જ વખતે પગમાં થઈને કાનમાં પેસી ગઈ. અને પેલા ગધેડા જે પાણીમાં પડયા તે બધા પર ચૂનો હતો સાહેબ ચૂનો. હવે કાચો ચૂનો તો પાણીમાં પડતાં જ ઊકળવા લાગે છે. બિચારા ગધેડા દાઝી નહિજાય શું ?'મિયાં અચ્છન તે જવાબ સાંભળીને આભા બન્યા જ. પણ ખાંસાહેબ તો એવા ખુશ થઈ ગયા કે તરત જ તેમણે ફકીરનો વાંસો થાબડીને કહ્યું :' અરે યાર ! તું તો ખરેખરો જૂઠનો રફુગર છે. અમારી જૂઠી વાતને પણ તું એવું રફુ કરે છે કે તે સાચી લાગે. અરે એમ જ બન્યું હશે એમ લાગે. આજથી હંમેશ તું મારી સાથે જ રહેજે.'જેઓ પોતાની કળામા નિષ્ણાત છે, એ કંઈ કામધંધા વગરના થોડા જ રહે છે ?જૂઠના એ રફુગરને કાયમનું કામ મળી જ ગયું અને તે પણ સાચું.- હરીશ નાયક

ટિપ્પણીઓ